સેવાકીય પ્રવૃતિ
ભોજન એ વિશ્વમાં દરેક ની પ્રાથમિક જરૂરીયાત છે. પૂ. શ્રી વિસામણબાપુ એ પાળિયાદમાં દર્શને આવેલો વ્યકિત ભૂખ્યો પાછો ના ફરે અને ઠાકરનો પ્રસાદ સૌને મળે એટલે સદાવ્રતની સ્થાપના કરેલી ને આ પરંપરા આજ દિવસ સુધી ચાલુ જ છે. વિહળધામ,પાળિયાદ ખાતે રોજ લગભગ ૫૦૦૦-૬૦૦૦ વ્યકિત દર્શનાર્થે આવે છે. તેમજ અમાસનાં દીવસે મેળો ભરાય છે અને લાખો લોકો દર્શન કરે છે. આટલી વ્યવસ્થાને પહોંચી વળવા અને દરેક ને નાત-જાત નાં ભેદભાવ વગર એક જ પંગતમાં બેસાડીને જમાડવા માટે સંપૂર્ણ સુવિધાવાળું અન્નક્ષેત્ર પાળિયાદ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે.
- રોગ નિદાન કેમ્પ અને રોગીઓની મફત સારવાર.
- સમાજમાં નબળા વિદ્યાર્થીઓને પુસ્તક સહાય.
- અભ્યાસમાં તેજસ્વી બાળકોને આગળ અભ્યાસ માટે આર્થિક સહાય.
- દર મહિને છેલ્લા રવિવાર નેત્રયજ્ઞ અને મફત સારવાર.
- દરેક ભક્ત માટે અન્નક્ષેત્ર.
- આદર્શ ગૌશાળા.
- તબીબી સારવાર.
- એમ્બ્યુલન્સ સુવિધા.
- વારે-તહેવારે સાધુ, સંતોને વસ્ત્રદાન
- મકરસંક્રાતિનાં દિવસે બ્રાહ્મણોને વસ્ત્રદાન અને અન્નદાન
- સેંકડો માણસો એક જ પંગતમાં બેસીને ભોજન લઇ શકે એવી અદ્યતન ભોજનશાળાની વ્યવસ્થા કરવામાં આવી.
- અશ્વશાળા.