આજરોજ તારીખ ૦૪-૧૧-૨૦૨૧ ને ગુરુવાર અને દિવાળી ના પવિત્ર દિવસે ગુજરાત ના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાળીયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા મા ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શને આવેલા ત્યારબાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુના જન્મ સ્થળે દર્શન કર્યા પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા ના દર્શન કર્યા ત્યારબાદ પૂજ્ય ભયલુબાપુ સાથે જગ્યા ની પ્રસાદી ની વિંટેઝ કારો જોઈને જગ્યા ની આધુનિક શ્રી બણકલ ગૌશાળા મા ગાય નું પૂજન કરી ગાયોને લાપસી આપી ને વૃક્ષારોપણ કરી વિહળ વાટિકા ખાતે કૈલાશ બંગલો ની મુલાકાત લઈ જગ્યા ની સ્વચ્છતા, વ્યવસ્થા,ગૌશાળા નું સંચાલન જોઈ ભયલુબાપુ ને અભિનંદન પાઠવી ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો




















